Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશતા થયેલ પારાવાર તબાહી, કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્તોની લીધી મુલાકાત.

Share

ભરૂચ પંથકમાં પૂર સંકટ આવ્યું છે ત્યારે નગરના દાંડિયા બજાર, કતોપોર બજાર ફુરજા વગેરે વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યાં છે.

ખેડૂતોને, વેપારીઓને અને ગરીબોને પારાવાર નુકશાન થયુ છે ત્યારે ભરૂચના પૂર અસર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે લીધી હતી. કાંઠા વિસ્તારના પુરગ્રસ્તોની મુલાકાત કોંગ્રેસના આગેવાનો સંદીપ મંગરોલા, શમશાદ અલી સૈયદ,અડવાણી દિનેશ,નિખિલ શાહ, વિરપાલસિંહ અટોદરિયા, સોએબભાઈ સુજનિવાળા, યતીન ભકતાની, ઇબ્રાહિમભાઈ કલકલ વગેરે એ લઇ વાસ્તવિક પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી હતી સાથે જ પૂર અસરગ્રસ્તોને યોગ્ય સહાય સમયસર મળી રહે તે અંગે ઘટતું કરવાની ખાત્રી આપી હતી.

Advertisement

Share

Related posts

સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી

ProudOfGujarat

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

નડિયાદ : નરસંડા ચોકડી નજીક ડિવાઇડર સાથે અથડાતા મહિલાનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!