Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – પૂરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી લઈ પહોંચેલ મુમતાઝ પટેલને જોઈ લોકોએ રડતા મોઢે હાથ ચૂમી લીધા

Share

નર્મદા નદીના પૂર ગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈ સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ, ડોકટર ટીમ તેમજ સહાય સામગ્રી કીટનું તેઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ ખાતે મુમતાઝ પટેલ સહિત તેઓની ટીમે નર્મદા પૂર અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી પૂરમાં થયેલ નુકશાની અંગેનો પણ ચિતાર તેઓએ મેળવ્યો હતો, અત્રે ઉલ્લેખનિય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. અહેમદભાઈ પટેલ દ્વારા અંકલેશ્વર ખાતે વર્ષોથી HMP ફાઉન્ડેશન કાર્યરત કરવામાં આવ્યું છે, તે જ ફાઉન્ડેશનના નેજા હેઠળ તેઓના પુત્રી મુમતાઝ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદરૂપ થવા સહાય સામગ્રી લઈ ફરતા જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ કોંગ્રેસના અગ્રણીઓને પોલીસે નજર કેદ કરી ગાંધીનગર યુથ કોંગ્રેસના સંમેલનમાં જતા અટકાવ્યા.

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે ટ્રેનની અડફેટે ૩ લોકોના મોત.એકજ રાત્રીમાં રેલવે અકસ્માતમાં ત્રણ લોકોના મોત થી ચકચાર…

ProudOfGujarat

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે, જાણો કેમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!