Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

Share

પંચમહાલ જિલ્લામાં કોરોના સામેના જંગમાં એક પછી એક સફળતા મળી રહી છે. જિલ્લાના વધુ 7 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થવા પામ્યા છે. અત્યાર સુધી કુલ 33 વ્યક્તિઓ સારવારની મદદથી આ મહામારીને માત આપવામાં સફળ રહ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી દાખલ કુલ 41 દર્દીઓ પૈકી 22 કોરોના સંક્રમણથી મુક્ત થયા છે.
સાજા થયેલા નવા સાત દર્દીઓ
1)પિંકેશભાઈ રાજાઈ (20 વર્ષ)
2)ખુશીબેન રાજાઈ (20 વર્ષ)
3)ડો.રવિ મકવાણા (30 વર્ષ)
4)ડો.જૈમિન જોષી (41 વર્ષ)
5)ફારૂખજી ધંત્યા (55 વર્ષ)
6)યુનુસભાઈ મન્સૂરી (51 વર્ષ)
7) ગણપતભાઈ ડબગર (50 વર્ષ)

લોક ડાઉન સંદર્ભે પોલિસની કામગીરી
લોક ડાઉનનું ચુસ્ત પાલન કરાવી સંક્રમણનો શક્ય તેટલો ઓછો ફેલાવો થાય તે સુનિશ્ચિત કરવા પંચમહાલ જિલ્લા પોલિસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી લોક ડાઉન ભંગ બદલ કુલ 1942 અને ફેક ન્યુઝ ફેલાવવા બદલ 4 અને હોમ ક્વોરેન્ટાઈનના ભંગના ગુના બદલ 02 એફ.આઈ.આર. થઈ છે. આ ઉપરાંત, ડ્રોન કેમેરાના સર્વેલન્સથી કુલ 134 એફ.આઈ.આર. નોંધાઈ છે. લોક ડાઉન અંતર્ગત કુલ 6502 વાહનોને ડિટેઈન કરવામાં આવ્યા છે. જિલ્લામાં લોક ડાઉનના ભંગ બદલ રૂ.5,71,600/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ભરૂચના દહેજની રિલાયન્સ કંપનીમાં કામ કરતા કામદારનું કંપનીમાં અકસ્માતે પડી જતા મોત.

ProudOfGujarat

સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતમાં ઐતિહાસિક જન સંકલ્પ રેલીનું આયોજન… જેમાં એક મંચ ઉપર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી,UPA ચેરપર્સન સોનિયા ગાંધી,પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તેમજ AICCના મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે…

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!