Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા આધેડનું મોત.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા એક આધેડનું મોત નિપજવા પામ્યું હતું. રેલેવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાલેજ અને વરેડીયા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી ગતરોજ કલાક ૧૧/૧૫ વાગ્યા પહેલાં એક આધેડ પડી જતા તેઓનું મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા ભરૂચ રેલવે પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ તુલસીભાઈ એ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના જમણા હાથે રમેશ વાઘેલા લખેલ છે. મૃતકે વાદળી રંગનો શર્ટ તથા એસ કલરનો પેન્ટ પહેરેલ છે. ઉ.વ. આશરે ૬૫ છે. મૃતકના વાલી વારસોને ભરૂચ રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી થી સોનેરી મહેલ જતા ઢાળ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા….

ProudOfGujarat

અડાજણ પોલીસ મથક સુરત ખાતે સૃષ્ટિ વિરુધનું કૃત્ય અંગેનું ગુનો નોંધાયો: વાંચો કેમ અને કેવી રીતે ??

ProudOfGujarat

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે સ્ટાર લેક સિટીમાં જુગાર રમતા ચાર ઝરપાયા, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!