Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર સ્થિત નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું

Share

કરજણ તાલુકાના નારેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નદીના નારેશ્વર ઘાટ પાસે જયદીપ ભાઇ દિલીપભાઈ સુર્યા ઉ.વ.૨૫ રહે. સુરત નાઓનું કોઈ અગમ્ય કારણોસર ડૂબી ગયાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી શોધખોળની કામગીરી હાથ ધરી હતી. ગતરાત્રીના ત્રણ કલાક કરતા વધુ સમયથી કાર્યવાહી બાદ પણ યુવકની ભાળ ન મળતા યુવકની શોધખોળ ચાલુ રાખી હતી.

ફાયર કર્મીઓ દ્વારા મોડી રાત સુધી રેસ્ક્યું ઓપરેશન ચલાવ્યા બાદ સોમવારે વહેલી સવારે પુનઃ કરજણ ફાયર વિભાગ દ્વારા રેસક્યું ઓપરેશન શરૂ કરાયું હતું. લાંબી શોધખોળ બાદ કરજણ ફાયર વિભાગને મૃતક વ્યક્તિનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં બહાર કાઢી અને પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

ProudOfGujarat

આમોદ નજીકથી વહેતી ઢાઢર નદીની સપાટી ઘટતા તંત્રએ હાશકારો લીધો.

ProudOfGujarat

ગોધરા નગર તથા તાલુકાની સંયુક્ત પરિચય બેઠકનુ આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!