Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનગરના રાંધેજા પાસે અકસ્માત સર્જાતા 5 લોકોના મોત, 1 ઘાયલ

Share

ગાંધીનગર પાસે રાંધેજા પેથાપર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ કારમાં કુલ છ લોકો સવાર હતા. જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને ઈજાગ્રસ્ત એક વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, કારમાં સવાર તમામ મુસાફરો માણસાના વતની હતા. પેથાપુર પોલીસે ગુનાની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમવતા આ અક્સ્માત થયો હતો. કાબુ ગુમાવતા જ કાર ઝાડ સાથે અથડાઈ જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા. આ 6 વ્યક્તિ પેથાપુર મૂવી ગયા હતા. મૂવી જોઈને પરહાપુરથી માણસા જતી વખતે તેમને આ અકસ્માત નડ્યો હતો. પાંચ મૃતક વ્યક્તિમાં મોહંમદ અલ્ફાઝ, સલમાન ચૌહાણ, સાહિલ ચૌહાણ, મોહંમદ બેલીમ, અસ્ફાક ચૌહાણની ઓળખ થઇ છે અને એક ઈજાગ્રસ્ત વ્યક્તિની શાહનવાબ ચૌહાણ તરીકે ઓળખ થઇ છે.

Advertisement

Share

Related posts

બરોડા ડેરીના વિવાદનું સમાધાન આવ્યું : સર્કિટ હાઉસમાં ધારાસભ્યો, સાંસદ અને પ્રભારી વચ્ચે યોજાઇ હતી બેઠક

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પુરું પાડતી મોટામિયાં માંગરોળની ગાદી દ્વારા સાદગીભરી રીતે ગુરૂ પૂર્ણિમાની કરાયેલી ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ-દહેજ માર્ગ ગુરુવારે સાડા સાત કલાક બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!