Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતેના મોતાલી ગામે બે મકાનોમાં આગ લાગતા દોડધામ મચી

Share

અંકલેશ્વર તાલુકામાં આવેલ મોતાલી ગામે 2 મકાનોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જ્યારે બે ફાયર બ્રિગેડે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. જેથી આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઘર વખરીનો સંપૂર્ણ સામાન બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.
અંકલેશ્વરના મોતાલી ગામે રહેતા નટવર જેસીંગ વસાવા અને પાડોશમાં રહેતા પ્રવીણ વસાવા ના ઘરમાં મધ્યરાત્રીએ અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. આગ પર ફળીયાના રહીશો નું ધ્યાન જતા તાત્કાલિક બન્ને ઘરમાં સુતેલા પરિવારજનો ને ઉઠાડી બહાર કાઢી પાણી નો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધુ ફેલાતા તાત્કાલિક અંકલેશ્વર ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા 2 જેટલા ફાયર બ્રિગેડ દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો આ આગમાં બન્ને ઘર ની ઘરવખરી બળી ને ખાખ થઇ જતા મોટું નુકશાન થવા પામ્યું હતું પરંતુ કોઈને ઈજા થઇ ન હતી.

Share

Related posts

અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે એબીસી ગ્રુપ દ્વારા દાંડીથી પોરબંદરની યાત્રાએ નીકળેલ સાયકલ યાત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

સની દેઓલ પોતાની અપકમિંગ ફિલ્મમાં મહારાણા પ્રતાપની ભૂમિકા નિભાવશે

ProudOfGujarat

ગાંધીનગર-રાજયના પાટનગર ગાંધીનગરનો આજે ૫૪મો જન્મદિવસ…

ProudOfGujarat
error: Content is protected !!