Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રાજીવ આવાસ યોજનાના ફ્લેટનાં મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ઘરવખરી બળીને ખાખ

Share

ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે, જિલ્લામાં ક્યાંક ઔધોગિક એક્મોમાં આગ લાગી તો ક્યાંક કેટલાય વાહનોમાં આગ જેવી ઘટના પ્રકાશમાં આવી ચુકી છે, તેવામાં વધુ એક આગ લાગવાનો બનાવ શહેરના રાજીવ આવાસના મકાનમાંથી સામે આવ્યો હતો.

રાજીવ આવાસના ફ્લેટ નંબર 105 માં રહેતા કનુબેન વસાવા આજે સવારે મકાન બંધ કરી કામ ધંધા ઉપર ગયા હતા જે બાદ અચાનક મકાનમાંથી ધુમાડા નીકળવા લાગતા આસપાસના પડોસીઓ દોડી આવ્યા હતા અને ઘટના અંગેની જાણ કનુબેન તેમજ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને કરી હતી.

રાજીવ આવાસમા આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને થતા જ તાત્કાલિક ધોરણે ફાયરના કર્મીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેના પર કાબુ મેળવ્યો હતો, હાલ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે, તેમજ આગમાં મકાનમાં રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ જતા મકાન માલિકને હજારો રૂપિયાનું નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા પ્રમુખના ચાલતા વિવાદ અંગે ધારાશાસ્ત્રી અશ્વિન ખંભાતાએ પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

ONGC અંકલેશ્વર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાઇ

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર ટોલ પ્લાઝા પર ડબલ ટેકસની માંગણી કરાતા મારામારી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!