Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

Share

અંકલેશ્વર ના રાજપીપળા રોડ પર આવેલા મીરા નગર પાસે અજાણ્યા શખ્સો એક વાછરડીની કારની ડીકીમાં ચોરી કરી ફરાર થઇ ગયા હતા, જે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવા માં આવી છે.
અંકલેશ્વરનાં મીરા નગરમાં રહેતા પશુપાલક સુદામાસિંહ ભજનસિંહ એશિયન જાતિની ગાય પશુ પાલન અર્થે લાવ્યા હતા. આ ગાયને દોઢ વર્ષની વાછરડી પણ હતી, બંનેને ઘરનાં આંગણમાં સુરક્ષિત રીતે બાંધવામાં આવ્યા હતા.
પોતાનું પશુધન સુરક્ષિત છે કે નહિં તેની ખાતરી કરવા માટે રાત્રીનાં ત્રણ વાગ્યાનાં સુમારે સુદામસિંહે ઘરની બહાર ભાળ કાઢી હતી,ત્યારે તેમને ગાય અને વાછરડી સલામત હોવાનું નજરે પડયું હતુ,પરંતુ વહેલી સવારે જયારે તેઓ ઘર બહાર નીકળતા જ વાછરડી ગાયબ હોવાનું ધ્યાને આવ્યુ હતુ, પરંતુ ગાય સલામત હતી.

આ અંગે સુદામાસિંહે નજીકનાં વિસ્તારોમાં તપાસ કરતા વાછરડીની કોઈજ ભળ મળી ન હતી. જોકે આ બધી દોડધામ વચ્ચે સ્થાનિક સીસીટીવી ટીવીનાં ફૂટેજમાં આખી ઘટના કેદ થઇ હોવાનું બહાર આવ્યુ હતુ.
આ સી સી ટીવી ફૂટેજ માં વાછરડીને એક કારમાં 2 ઈસમો ડિકીમાં ભરીને લઇ જતા હોવાનું સામે આવ્યુ હતુ, આ અંગે સુદામાસિંહે જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને આરોપીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement


Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

ProudOfGujarat

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતું હોવાની ફરિયાદ કરતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે..

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઉદ્યોગો બન્યા બેફામ : વરસાદી પાણીના વ્હેણમાં કેમિકલ યુક્ત પાણી છોડયું ..!

ProudOfGujarat
error: Content is protected !!