Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની ચકાસણીનો આદેશ

Share

રાજકોટમાં બનેલી ગોઝારી દુર્ઘટના બાદ ભરૂચ શૈક્ષણિક વિભાગ સફાળું જાગ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી ના સાધનોની ચકાસણી કરવા માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

ભરૂચમાં શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને ફાયર સેફ્ટી ના સાધનો બાબતે એનઓસી મેળવી લેવા એક પરિપત્ર બહાર પાડી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ દ્વારા તમામ સરકારી ખાનગી શાળાઓમાં ફાયર સેફટી ના સાધનોની સ્થિતિ વિશે ચકાસણી હાથ ધરવામાં આવનાર છે, જેમાં ફાયર સેફટીના સાધનો ને એક્સપાયરી ડેટ છે? કે કેમ? જો એક્સપાયર થયેલ સાધનો હોય તો તેનો નિકાલ કરવો તેની જગ્યાએ નવા સાધનો વસાવવા ઉપરાંત જે સ્કૂલના બિલ્ડીંગ જર્જરીત હાલતમાં હોય તેમને તોડી પાડવા માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલ છે આગામી સમયમાં ચોમાસુ આવનાર હોય આથી ચોમાસાની સિઝન દરમિયાન કોઈપણ પ્રકારની શાળાકીય સંસ્થાઓમાં આકસ્મિક બનાવ ન બને તે માટે આ પ્રકારના પગલાઓ ભરવામાં આવ્યા છે જર્જરીત ઓરડાઓને દૂર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ સાથે ભૂતકાળમાં બનેલા બનાવો ન બનવા પામે તે સહિતની તકેદારી રાખવા માટે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા રાજકોટની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પ્રાંત કક્ષાનો “વિશ્વાસથી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!