Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

Share

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ, મોસાલી વિસ્તારોમાં કૃષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Advertisement

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષ્ણ ભગવાન જન્મ નિમિતે અષ્ટમીના દિવસે વાંકલ મેઈન બજારમાં આવેલ સત્ય નારાયણ મંદિર પરિસર ભજન કીર્તન સાથે વિવિધ પ્લોટોમાં ગોકુળિયાને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અંબાજી માતાજી ના પટાંગણ માં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈ મંદિર ખાતે પણ વિવિધ આયોજન સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ અંબાજી મંદિરથી શોભાયાત્રા યાત્રા મુક્તાનંદ પાર્ક, બજેટ ફળિયું, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર થઈ સ્નેહલ પાર્ક, ગુલાબ પાર્ક સુધી ડી.જે ના તાલે ઝૂમી ઊઠ્યા હતા.જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ થી ગુંજી ઉઠી કૃષ્ણમય વાતાવરણ બન્યું હતું. મોસાલી અને ઝંખવાવ ખાતે પણ મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


Share

Related posts

નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.

ProudOfGujarat

આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ કુમારિકાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખી પૂજા કરી કેટલાંક મંદિરો પર પૂજાનાં નિયમોની નોટીસ જણાઈ.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલની દુક‍ાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો : આરોપીએ અન્ય કિશોર સાથે મળીને ૧૫ મોબાઇલની ચોરી કરી હોવાની કબુલાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!