Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

Share

માંગરોળ તાલુકામાં જન્મ મહોત્સવ નિમિત્તે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા મટકી ફોડના કાર્યક્રમો યોજાયા અને શોભાયાત્રા કાઢવામાં આવી

માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ, મોસાલી વિસ્તારોમાં કૃષણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Advertisement

માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષ્ણ ભગવાન જન્મ નિમિતે અષ્ટમીના દિવસે વાંકલ મેઈન બજારમાં આવેલ સત્ય નારાયણ મંદિર પરિસર ભજન કીર્તન સાથે વિવિધ પ્લોટોમાં ગોકુળિયાને લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું હતું. અંબાજી માતાજી ના પટાંગણ માં કૃષ્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેશન વિસ્તારમાં આવેલ સાઈ મંદિર ખાતે પણ વિવિધ આયોજન સાથે મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વાંકલ અંબાજી મંદિરથી શોભાયાત્રા યાત્રા મુક્તાનંદ પાર્ક, બજેટ ફળિયું, બજાર વિસ્તાર, સ્ટેશન વિસ્તાર થઈ સ્નેહલ પાર્ક, ગુલાબ પાર્ક સુધી ડી.જે ના તાલે ઝૂમી ઊઠ્યા હતા.જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખીના નાદ થી ગુંજી ઉઠી કૃષ્ણમય વાતાવરણ બન્યું હતું. મોસાલી અને ઝંખવાવ ખાતે પણ મટકી ફોડના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી તાલુકાનાં બળોલ ગામનાં સ્મશાન પાસે નાળામાંથી મૃત નવજાત શિશુ મળી આવ્યું.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર ખાતે શ્રાવણિયો જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા : 2 ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જીતાલી ગામે થી ભરૂચ ક્રાઈમ બ્રાંચ એ જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!