Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં શાળા સંચાલક ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ: પટેલની જીત નિશ્ચિત નો દાવો કરતાં શિક્ષકો

Share

ભરૂચમાં શાળા સંચાલક ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ: પટેલની જીત નિશ્ચિત નો દાવો કરતાં શિક્ષકો

ભરૂચમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં બહોડા પ્રમાણમાં શિક્ષકોએ પોતાના પસંદગીના ઉમેદવારને છૂટી કાઢવા માટે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું.

Advertisement

સમગ્ર ગુજરાતમાં આજે શાળા સંચાલક મંડળ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક ની ચૂંટણી યોજાઈ રહી છે , જેમાં કુલ ત્રણ ઉમેદવાર હોય એ પોતાની દાવેદારી નોંધાવી છે જે.વી. પટેલ , પરવડીયા સાહેબ અને ખુરાન સાહેબ સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષકો જેવી પટેલ સાથે હોય તેવું ભરૂચના શિક્ષકોએ જણાવ્યું છે, આજે યોજાઈ રહેલી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક તરીકે એક વ્યક્તિની નિમણૂક થશે જેમાં તમામ શિક્ષકોએ એક જૂથ થઈ જે.વી. પટેલને જીતાડવા માટે કવાયત હાથ ધરેલ છે, શૈક્ષણિક જગતમાં પણ સંચાલક તરીકેની ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવવા માટે આજે ત્રણ દાવેદારો મેદાનમાં છે જેમાંથી પટેલની જીત નિશ્ચિત હોય તેવો ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ દાવો કર્યો છે, આખરે ચૂંટણી યોજાઈ ગયા બાદ પરિણામ જાહેર થશે ત્યારે ખ્યાલ આવશે કે જીત કોની થઈ છે હાલ તમામ ત્રણેય ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આગામી સમયમાં જોવું રહ્યું કે સંચાલકની ભૂમિકા આખરે કોને સોંપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે મહત્વનું ગણાતું ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં ઉત્સાહભેર રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોએ મતદાન કર્યું છે મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી શરૂ થશે ત્યારે પરિણામ જાહેર થશે ત્યારે કોના શિરે સંચાલકનો તાજ શિક્ષકો ઢોળે છે તે જોવું રહ્યું?


Share

Related posts

ભરૂચ એસીબીએ વનવિભાગની ચેકપોસ્ટ પાસ કરવા 100 રૂપિયાની લાંચ લેતા બે બીટગાર્ડ ને ઝડપી પાડ્યા હતા..લાકડાની ટ્રક પસાર કરવા લાંચ માંગી હોવાનું જાણવા મળ્યું હતું….

ProudOfGujarat

સતત ત્રીજી ટર્મ માટે સમશાદ અલી સૈયદને વિપક્ષ નેતા તરીકેની જવાબદારી, લોકહિતના પ્રશ્નો માટેની લડતને પગલે બિનહરીફ વરણી ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. પાછલી બે ટર્મમાં સત્તાના સામા વહેણે લોક હિતના પ્રશ્નો માટે લડત લડતા સમશાદ અલી સૈયદ પર સાથી સભ્યોએ ફરી એકવાર ભરોસો મુક્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે વિપક્ષના તમામ સભ્યોએ એક સૂરમાં વિપક્ષ નેતા તરીકે સમશાદ સૈયદને યથાવત રાખવાનો મત દર્શાવતા તેમની બિન હરીફ વરણી થઈ છે. કોંગ્રેસની વિધાર્થી પાંખ એન એસ યુ આઈમાં સામાન્ય કાર્યકર તરીકે હક્ક અને અધિકાર માટે લડતા સમશાદ અલી સૈયદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં પ્રથમવાર 2015માં જંગી મતથી જીતી આવ્યા હતાં. 2018માં પ્રથમવાર વિપક્ષ નેતા તરીકે તેમની વરણી થઈ હતી. વિપક્ષના નેતા તરીકે શહેરના લોકોને સ્પર્શતા રોડ, રસ્તા, લાઈટ, ગંદકી, પાણીના નિકાલ જેવા પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાનાં કર્મચારીઓના પ્રશ્ન માટે પણ તેઓએ અનેકવાર રજૂઆત કરી છે. કાર્યકાળ દરમિયાન સામાન્ય સભામાં ધારદાર દલિલો અને રજૂઆતથી અને ભ્રષ્ટાચાર ઉજાગર કરવાથી તેમણે સત્તા પક્ષને મૂંઝવણમાં મૂક્યા છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને તેમની પ્રજાલક્ષી રાજનીતિ તેમજ વલણને જોઈ ત્રીજીવાર વિપક્ષના નેતા તરીકે બિન હરીફ ચૂંટાય આવ્યા છે. વિપક્ષ નેતા તરીકે થયેલી પસંદગી અંગે ખૂશી વ્યક્ત કરતા તેઓએ તેમના વોર્ડના નાગરીકો, શહેરની જનતા , સાથી નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં પણ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની તત્પરતા દાખવી છે.

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રીજ માં બે યુવાનોએ બાઈક વચ્ચે મૂકી ડાન્સ કરતો વિડિયો વાયરલ કર્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!