Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની હરીનગર સોસાયાટીમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો

Share

અંક્લેશ્વર જીઆઇડીસીના ગોલ્ડન પોઇન્ટચોકડી પાસે આવેલાં ડાયનામિક એન્કલવ ખાતે રહેતાં યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ખરસીયા મુળ વાલિયાના હોઇ ત્યાં હરીનગર સોસાયટીમાં તેમનું મકાન આવેલું છે. છેલ્લાં ત્રણેક વર્ષથી તે મકાન બંધ હાલતમાં હોઇ પરિવાર શનિ-રવિના રજા તેમજ વાર તહેવારે તે મકાને સાફસફાઇ અને દેખરેખ માટે જાય છે. ગત 26મી એપ્રિલના રોજ તેમના માતા-પિતા હરિનગર સોસાયટીના ઘરે ગયાં હતાં. જ્યં તેઓ રાત્રે રોકઇ બીજા દિવસે ઘરને તાળું મારી અંક્લેશ્વર પરત આવી ગયાં હતાં. દરમિયાનમાં ગઇકાલે બપોરના સમયે તેઓ તેમની પત્ની સાથે વાલિયાના ઘરે જતાં તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમણે તેમણે ઘરમાં જઇ તપાસ કરતાં ઘરમાં મંદિરમાંથી દેવી-દેવતાઓની ચાંદીની મુર્તિઓ તેમજ રોકડા રૂપિયા 15 હજાર મળી કુલ 20થી વધુ મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં તેમણે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : પરિવાર ઉપરના માળે સૂતો રહ્યોને તસ્કરો સોના-ચાંદીના દાગીના સહિત ચોરી કરી ફરાર

ProudOfGujarat

આજે રથયાત્રા : ભગવાન નગરચર્યાએ નહીં નીકળે, મંદિર પરિસરમાં જ ફરશે રથ…

ProudOfGujarat

વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!