Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કોઠી ત્રાલસા ગામે ૨૧ ગામના ખેડૂતોએ વળતર મુદ્દે તંત્ર સામે લડવાના શપથ લીધાં

Share

પાવરગ્રીડની વીજ લાઈનના વળતરને લઈને આંદોલનની ચીમકી
ભરૂચ.
પાવરગ્રીડ સાઉથ ઓલપાડ-વડોદરા ૭૫ર કેવીની વીજ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ લાઈન ભરૂચ તાલુકામાં આવેલાં ૨૧ ગામોમાંથી પસાર થનાર છે, ત્યારે તેને લઈને કોઠી ગામે ૨૧ ગામના સરપંચોની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરપંચો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.
બેઠકમાં દરેક અસરમસ્ત ગામના સરપંચો તેમજ આગેવાનોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમજ આગામી દિવસોમાં જે વીજ લાઈન નાંખવામાં આવશે તેનાથી ધનાર નુકસાનને લઈને ખેડૂતોને અસર થશે. ત્યારે આવા સમયે તંત્ર સામે લડી લેવાની તૈયારી બતાવવા સાથે સૌએ મળી તે માટેના શપથ લીધાં હતાં. વીજ કંપનીઓ સામે જિલ્લા વહિવટી તંત્ર લાચાર બનીને એક તરફી નિર્ણય લેતાં હોવાનો રોષ પણ તેમણે ઠાલવ્યો હોત, તેમજ આગામી દિવસોમાં આ મામલે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની રૂપરેખા તૈયાર કરવાની પણ કવાયત તેમણે શરુ કરી હતી.

Share

Related posts

શહેરાની સરકારી વિનયન કોલેજમાં ઉષનિષદોના મત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકારની જાહેરાત : ગાંધી જયંતિએ રાજ્યભરમાં યોજાશે વિવિધ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!