Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની યશસ્વી રસાયણ કંપનીએ 4 પરિવારને પોતાના નવનિર્મિત આવાસ આપ્યાં

Share

ભરૂચ.
ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં આવેલી કંપનીઓ દ્વારા સતત કોઇને કોઇ સામાજિક કાર્યો કરવામાં આવતાં હોય છે. કંપનીના સીએસઆર ફન્ડનો ઉપયોગ નાના બાળકોને શિક્ષણ, આરોગ્ય સહિતના કામો કરવામાં આવતાં હોય છે. ત્યારે દહેજની યશસ્વી રસાયણ કંપનીએ પણ ગરીબ લોકોને નવા આવાસ આપ્યાં છે.  બુધવારે સવારે 11 કલાકે  યશસ્વી રસાયણ પ્રાઇવેટ લિમિટેડ દહેજ કંપનીએ તેના સીએસઆર ફંડ માંથી લુવારા ખાતે 25 લાખના ખર્ચે 4 લાભાર્થીઓના નવનિર્મિત આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કંપનીના પ્રોડક્શન હેડ મિતેષ પટેલ, એચઆર ડિપાર્ટમેન્ટમાંથી સુદીપ જાંબેકર, દિવ્યેશ સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ગામ ના સરપંચ ઈશ્વરભાઈ,ડેપ્યુટી સરપંચ લીલાબેન, તલાટી અનુપભાઈ મોદી ,પંચાયતના સભ્યો તથા સૌ ગામજનો ઉપસ્થિત રહ્યા.

Share

Related posts

અંકલેશ્વર : ઝઘડિયા ખાતે લઇ જવાતી પ્રસુતાની ૧૦૮ માં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાઇ.

ProudOfGujarat

ભરૂચના શેરપુરા ગામે ખાનગી કંપની દ્વારા મોબાઇલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી

ProudOfGujarat

કૃષિ કાયદાને લઈને લીંબડી હાઇવે સર્કલ પર ખેડૂત આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!