Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામદારનું અકસ્માતમાં મોત

Share

ભારે પવનને કારણે 10 ટનનો રેન્કનો ઘોડો પડતાં કામદાર ઘવાયો હતો
ભરૂચ.
દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડળ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો ઘોડો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ આવી ગયાં હતાં. ત્રણેક મહિનાથી તે કંપનીમાં કામ કરીરહ્યો હતો. ત્યારે  મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેના પરિવારને દર મહિને 30 હજાર આપવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કંપની સત્તાધિશોએ તેમને 10 લાખનું વળતર ચુકવવાની બાંહેધરી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ ફાયર વિભાગને સારી કામગીરી બદલ એવોર્ડ અને પ્રમાણપત્રથી સન્માનિત કરાયા

ProudOfGujarat

હમ નહિ સુધરેગે: પોશીના તાલુકાના નાડા ગામે મોટી સંખ્યામાં લોકો લગ્નના વરઘોડામાં નાચતા કોરોના ગાઇડ લાઇન વિસરાઇ..!

ProudOfGujarat

ઝાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડી સુધીના મુખ્ય માર્ગ પર એક થી દોઢ ફૂટ ઊંડા ખાડા પડી જવાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!