Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાહિયેર ગામ પાસે એસટી બસની ટક્કરે બાઇક સવારનું મોત

Share

ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક શખ્સ બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં એક એસટી બસના ચાલકે તેમને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક મનોજ ઇશ્વર સોલંકી નામનો યુવાન તેની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. તે વેળાં જંબુસરથી સુરત જતી એક એસટી બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અનેે ગફલતભરી રીતે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આમોદ પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ડીકે સ્વામી પણ ત્યાં આવી પહોચ્યાં હતાં. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એસટી બસના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

મણિપુર હિંસામાં આદિવાસી ખ્રિસ્તીઓ પર થયેલા અત્યાચાર મામલે કાર્યવાહીની માંગ સાથે ભરૂચમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા અપાયું આવેદનપત્ર

ProudOfGujarat

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓનાં 5 મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!