Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નાહિયેર ગામ પાસે એસટી બસની ટક્કરે બાઇક સવારનું મોત

Share

ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક શખ્સ બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. દરમિયાનમાં એક એસટી બસના ચાલકે તેમને ટક્કર મારતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે.
આમોદ તાલુકામાં આવેલાં નાહિયેર ગામ પાસેથી એક મનોજ ઇશ્વર સોલંકી નામનો યુવાન તેની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. તે વેળાં જંબુસરથી સુરત જતી એક એસટી બસના ચાલકે પોતાની બસ પુરઝડપે અનેે ગફલતભરી રીતે હંકારી લાવી તેમની બાઇકને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આમોદ પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ ધારાસભ્ય ડીકે સ્વામી પણ ત્યાં આવી પહોચ્યાં હતાં. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એસટી બસના ડ્રાઇવર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચનાં સ્ટેશન રોડ ઉપર ટેમ્પો ફસાઈ જતા ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

વલસાડમાં સંજુ ફિલ્મને ઝબરો પ્રતિસાદ ,વલસાડ કો સંજુ પસંદ હે….સીનેપાર્કમાં દર્શકોની ભારેભીડ શો ફુલ

ProudOfGujarat

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગનો સ્લેબ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!