Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

પ્રશાંત આશ્રમશાળા ખાતે બાળકોને નોટબુક પેનનું વિતરણ કરાયું

Share

(જી.એન.વ્યાસ)

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધોબિસલ ગામે પ્રશાંત આશ્રમશાળામાં ડો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા તમામ બાળકોને કેવડીયા કોલોની નર્મદેશ્વર મહાદેવ મંદિરના પુજારી હરિશંકર ભાઈ શર્મા તથા મનીષભાઈ સ્વામી દ્વારા નોટબુક પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણને લઇ બાળકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. પ્રશાંત આશ્રમશાળામાં ગરૂડેશ્વર તથા નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાના ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. જેઓને તમામ સુવિધા આશ્રમશાળા તરફથી પૂરી પાડવામાં આવે છે. આ વિતરણ કાર્યક્રમમાં માનીશ સ્વામી મહારાજે બાળકો ખુબ ભણીને આગળ વધે તેમજ પોતાનું જીએવન ઉજ્જવળ બનાવી સમાજનું નામ રોશન કરે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં આશ્રમશાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ સાથે અન્ય શિક્ષક સ્ટાફ વિમલાબેન તડવી, કલાવતીબેન તડવી, અમૃતાબેન તડવી, રાજેશભાઈ બારિયા, ગૌતમભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ માટે ૮.૫૦ કરોડની ફાળવણી કરાઇ.

ProudOfGujarat

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat
error: Content is protected !!