Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પંથકમાં જલારામ જ્યંતીની ઉજવણી કરાઇ…

Share

આજે જલારામ બાપાની 221 મી જન્મ જ્યંતીની ઉજવણી ભરૂચ પથકમાં ઉત્સાહ અને ઉમંગભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. અલબત્ત કોરોના મહામારીનાં પગલે મોટા પાયે કાર્યક્રમ યોજવામાં આવ્યા ન હતા તેમ છતાં ભરૂચ પંથકનાં દરેક વિસ્તારમાં જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચનાં હનુમાન શેરીમાં આવેલ હનુમાનજી મંદિરમાં જલારામ જ્યંતી નિમિત્તે જલારામબાપા પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું તેમજ ભરૂચનાં કસક જલારામ મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે આરતીનું આયોજન કરવામાં આવેલ હતું

અને પૂજા કરવામાં આવેલી હતી તેમજ ભાવિ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો. આ વર્ષે કોરોના મહામારી નિમિત્તે પ્રસાદનું આયોજન રદ કરવામાં આવ્યું હતું. આમ ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં આવેલ જલારામ મંદિરો ખાતે તેમજ અન્ય મંદિરો ખાતે પણ જલારામ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા ગ્રામીણ બેંક મૃતપાય હાલતમાં થવા પાછળ ચેરમેન,એમડી,વા.ચેરમેન જવાબદાર હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

ભરૂચ : મુહમ્મદ પયગમ્બર સાહેબની શાનમાં વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ટંકારીઆ સજ્જડ બંધ.

ProudOfGujarat

વડોદરાના વરણામા નજીક પોલિટેક પ્લાસ્ટિક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!