Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુકલતીર્થની આંબાવાડીના તળાવમાં દેખાયેલ મગરનો વનવિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સફળ બચાવ

Share

ડોક્ટરી તપાસ બાદ મગરને અનુકૂળ વાતાવરણમાં મૂકવામાં આવી
ભરૂચ
શુકલતીર્થના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક તળાવમાં બુધવારના રોજ એક જીવંત મગર જોવા મળતાં સ્થાનિક રહીશો ગભરાઈ ગયા. તાત્કાલિક રીતે રહેવાસી પરેશભાઈ પટેલે આ માહિતી વનવિભાગને આપતા, આરએફઓ શ્રી ડાભી સાહેબ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા. સાથે જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો ધવલ માટોર કર અને યોગેશભાઈ તેની આગેવાની હેઠળની ટીમ તથા દિવ્યેશ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વનવિભાગના માર્ગદર્શન હેઠળ તળાવ પાસે પીજરું મુકવામાં આવ્યું હતું, જેમાં મગરને ધ્યાનપૂર્વક અને સલામતી સાથે પકડવામાં આવ્યો. ત્યારબાદ તેને વનવિભાગના અધિકારીઓને સોંપવામાં આવ્યો.આ મગરની ડોક્ટરી તપાસ કરવામાં આવી, જેમાં તેની તબિયત સારી હોવાનું નિદાન થતાં, વનવિભાગ દ્વારા તેને અનુકૂળ પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે એવી માહિતી મળેલી છે.આ ઘટનાથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી છે તથા વનવિભાગ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે.

Share

Related posts

મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નમાં ૭૭ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

ProudOfGujarat

ભરૂચ -અંક્લેશ્વરમાંથી 14 બાંગ્લાદેશીઓ ઝડપાયાં, એસઓજી-એલસીબીનું સંયુક્ત ઓપરેશન

ProudOfGujarat

ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો શુભારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!