ભરૂચ
ભરૂચ શહેરમાં એક યુવાનને રસ્તા પર ચાલવા બદલ અજાણ્યા બાઇક સવાર દ્વારા ઉશ્કેરાતા પહેલા અપશબ્દો બોલાયા અને પછી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી. ઘટના પાછળ હુમલાખોરની ઓળખ પણ થઈ છે. ઝરણ અશોકભાઈ ઠાકોર છેલ્લા આઠ વર્ષથી હોમગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓએ રાત્રે પોતાના બેનના દીકરા વૈભવને સહજાનંદ ડેરીમાં દૂધ લાવવા દસ વાગ્યા ના અરસામાં મોકલ્યો હતો. આ દરમિયાન વૈભવ રસ્તા પર નોર્મલ રીતે ચાલતો હતો ત્યારે એક અજાણ્યો બાઇક સવારે અચાનક આવી અને ગુસ્સામાં “રસ્તા વચ્ચે કેમ ચાલે છે? સાઈડમાં ચાલતા નથી આવડતું?” બાઇક સવારે અપશબ્દો બોલી યુવાનને તમાચો માર્યો અને વધુમાં કહ્યુ, “ફરીથી રસ્તા પર ચાલતો દેખાયો તો જાનથી મારી નાખીશ.” આ કહીને બાઇક સવાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.પોલીસ તપાસમાં આ બાઇક સવારની ઓળખ પાર્થ જોશી તરીકે થઇ છે. તેની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભરૂચમાં યુવાનને અજાણ્યા બાઇક સવાર તરફથી ધમકી: “ફરી રસ્તા પર દેખાયો તો જાનથી મારી નાખીશ
Advertisement
