Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વકીલપરા ગામે બ્રિજ બનાવવા 7કરોડ 35લાખ મંજુર કરાયા.આઠ ગામોની સમસ્યા હલ થશે.

Share

માંગરોળ માર્ગે નવા બ્રિજ માટે રાજ્યસરકારથી મંજૂરી મળી.રૂ.7કરોડ 35લાખના કામને હરી ઝંડી.વકીલપરા-અણોઈ,ખરેડા,કરગરા સહિતના ગામોને સીધો ફાયદો થશે.

પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના વિધાનસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ સડક યોજના-2024-25 હેઠળ માંગરોળ તાલુકાના વકીલપરા રસ્તા ઉપર નવા બ્રિજોના કામને મંજૂરી આપી છે.ચોમાસામાં પાણી ભરાતા વર્ષોથી આવજા બંધ થતી સમસ્યા હવે દૂર થશે.

Advertisement

આ કામથી વકીલપરા,અણોઈ ખરેડા, કરગરા સહિત આસપાસના આઠ ગામોને ગામોને કનેક્ટિવિટી મળશે.વિદ્યાર્થીઓ,દૂધવાહનો,એમ્બ્યુલન્સ અને વેપારીઓને વિશેષ રાહત મળશે.આજુબાજુના ગ્રામજનોએ ગણપતસિંહ વસાવાનો આભાર માન્યો છે.


Share

Related posts

ભરૂચ અંકલેશ્વરમાંથી વધુ ૪૪ બાંગ્લાદેશીઓ ઝડપાયાં, તમામને ડિપોર્ટ કરાશે

ProudOfGujarat

જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

મગરને રેસ્કયુ કરવા વન વિભાગની ત્રણ જેટલી ટીમને સ્ટેન્ડ બાય મોડપર રખાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!