માંગરોળ માર્ગે નવા બ્રિજ માટે રાજ્યસરકારથી મંજૂરી મળી.રૂ.7કરોડ 35લાખના કામને હરી ઝંડી.વકીલપરા-અણોઈ,ખરેડા,કરગરા સહિતના ગામોને સીધો ફાયદો થશે.
પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના વિધાનસભ્ય ગણપતસિંહ વસાવાની રજુઆત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ સડક યોજના-2024-25 હેઠળ માંગરોળ તાલુકાના વકીલપરા રસ્તા ઉપર નવા બ્રિજોના કામને મંજૂરી આપી છે.ચોમાસામાં પાણી ભરાતા વર્ષોથી આવજા બંધ થતી સમસ્યા હવે દૂર થશે.
Advertisement
આ કામથી વકીલપરા,અણોઈ ખરેડા, કરગરા સહિત આસપાસના આઠ ગામોને ગામોને કનેક્ટિવિટી મળશે.વિદ્યાર્થીઓ,દૂધવાહનો,એમ્બ્યુલન્સ અને વેપારીઓને વિશેષ રાહત મળશે.આજુબાજુના ગ્રામજનોએ ગણપતસિંહ વસાવાનો આભાર માન્યો છે.
