Proud of Gujarat
bharuchCulturedharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ગણેશ મહોત્સવ: માટી સાથે ગૌ ગોબરમાંથી બનેલ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓનો વધતો ક્રેઝ

Share

ભરૂચ.

​ગણેશ મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે, ભરૂચમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવતા, માટી અને ગૌ ગોબરમાંથી બનેલી પ્રતિમાઓનું ચલણ વધી રહ્યું છે.
​આ વર્ષે, ભરૂચના કવિઠા ખાતે આવેલી નંદની ગૌ શક્તિપીઠમાંથી તૈયાર થયેલી ગૌ ગોબરની અંદાજે ૧૦૦ જેટલી ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ થયું છે, જે દર્શાવે છે કે લોકો હવે પરંપરાગત પીઓપી (પ્લાસ્ટર ઓફ પેરિસ)ની મૂર્તિઓ કરતાં પર્યાવરણને અનુકૂળ વિકલ્પો પસંદ કરી રહ્યા છે. ત્યારે હવે ભરૂચ શહેરમા ગૌ ગોબરમાંથી બનેલ પ્રતિમાઓનું પણ સ્થાપન થશે.
​આ ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓ માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ વિસર્જન પછી તે માટી અથવા ખાતરમાં રૂપાંતરિત થઈ જાય છે, જે પ્રકૃતિ માટે ફાયદાકારક છે. આ પગલું પર્યાવરણના રક્ષણ માટે એક સકારાત્મક સંકેત છે અને ભરૂચના નાગરિકોની પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Advertisement

Share

Related posts

ઝાડેશ્વર રોડના ઓરિયન્ટ આર્કેટમાં મેડિકલ સ્ટોરમાં ૪૭ હજારની ચોરી

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ રાજકીય ભૂકંપ એંધાણ, વાલિયા તાલુકા ભાજપના અનેક આગેવાનો બળવાના મૂળમાં..!

ProudOfGujarat

અંકલેશ્વરના પ્રતિભા જીતેન્દ્રભાઈ ચૌધરીએ કોવિડ -૧૯ આધારિત લોકડાઉન દરમિયાન નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન આયોજિત અખિલ ભારતીય નિબંધ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!