Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાશે, કાંઠા વિસ્તારોમાં તંત્ર દ્વારા અપાયું એલર્ટ !

Share

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે.ડેમમાં ઉપરવાસમાંથી 3.90 લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની જળ સપાટી 136. 76 મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 10:00 વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતા છે. નર્મદા નદીની જળ સપાટી તેના 22 ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ 94% ભરાઈ જતા હવે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-હાસોટ ના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશય થતા એક યુવાનને ગંભીર ઇજા, યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી, સીબીએસઈ ક્લસ્ટર-૧૩ વેસ્ટ ઝોનમાં કબડ્ડી ટીમ વાઘોડિયા ખાતે સ્પર્ધામાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ ના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઇ ટેકરી વિસ્તાર માં આવેલ જી ઇ બી ના ટ્રાન્સફોર્મર માં આચનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!