Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

હરિહર ઉદાસીન આશ્રમ ખાનપુર લાટ ખાતે રાવળ યોગી સમાજનો દ્વિતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

Share

(વંદના વાસુકિયા)

બાવળા ધોળકા સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવમા અનેક સાધુ સંતોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા

Advertisement

અમદાવાદ જિલ્લાના હરિહર ઉદાસીન આશ્રમ, ધોળકા બગોદરા હાઇવે, ખાનપુર લાટ ખાતે ફાગણ સુદ-૩ ને રવિવાર તારીખ- ૧૮-૦૨-૧૮ના રોજ બાવળા ધોળકા સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમુહ લગ્નોત્સવમાં આનેક સાધુ સંતોએ નવદંપતિને આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત માતાજીના માંડવામાં ડાક ડમરૂના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
હરિહર ઉદાસીન આશ્રમ ખાતે આયોજિત બાવળા ધોળકા સાણંદ રાવળ યોગી સમાજના દ્વિતિય સમુહ લગ્નોત્સવમાં દીકરીઓને કરિયાવરમાં તિજોરી, સેટી પલંગ, મંગળસુત્ર, ખુરશી, રસોડા સેટ, સાડી સેટ સહિત અનેક વસ્તુઓની સાથે કરિયાવરમાં શ્રીમદ ભગવદ ગીતા આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે આયોજિત સમુહ લગ્નોત્સવમાં ગણેશ સ્થાપન, મંડપ મુહર્ત, જાન આગમન, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, સત્કાર સમારંભ અને કન્યા વિદાય સહિતના કાર્યોક્રમોનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત રાવળ યોગી સમાજના સમુહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

કરજણના ઓઝથી મોટીકોરલને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા.

ProudOfGujarat

ભરૂચમાંથી વિદેશમાં સ્થાહી થયેલાઓ આજે પણ ભરૂચની કરી રહ્યા છે ચિંતા.

ProudOfGujarat

ભરૂચમાં ફરજ પર રહેલ વર્તમાન અને પૂર્વ કલેક્ટરની હવે સચિવાલયમાં એન્ટ્રી : કલેક્ટર ડો.એમ.ડી મોડિયાની મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ઓફિસ ઓન સ્પેશિયલ ડ્યુટી કરવા નિમણૂક કરાઇ..!!

ProudOfGujarat
error: Content is protected !!