Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કેમ છો પુછનાર યુવાનને કુખ્યાત બુટલેગર બબુલે તું મને પુછવાવાળો કોન કહીં ચપ્પુથી ઘા કર્યાં

Share

ભરૂચ શહેરના ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ શહેરના ધોળીકૂઇ બજાર વિસ્તારમાં આવેલાં રાવળિયા ટેકરા ખાતે રહેતો સુરેશ મંગા વસાવા રાત્રીના સમયે કામ અર્થે ઇન્દિરાનગર ઝૂપડપટ્ટી તરફ ગયો હતો. દરમિયાનમાં ત્યાં બબુલ ઠાકોર બેઠો હોઇ તેણે બબુલભાઇ કેમ છો, તેમ પુછતાં બબુુલ અચાનક ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તેની પાસે આવી બે-ત્રણ તમાચા મારી તું મને પુછવાવાળો કોણ છે?  છાનો માનો ચાલ્યા કર તેમ કહેતાં તે તેના ઘરે ગયો હતો. જ્યાં તેણે તેની પત્ની સાથે ઘટનાની ચર્ચા કરતાં તેની પત્ની રૂક્શાના તેને સાથે રાખી બબુલને ઠપકો આપવા ગઇ હતી. જ્યાં તેઓ વચ્ચે વાકયુદ્ધ છેડાતાં બબુલે તેમને અપશબ્દો ઉચ્ચારી તેની પાસેનું ચપ્પુ કાઢી રૂક્શાનાને મારતાં તેના જમણા હાથમાં ઇજાઓ થઇ હતી. બુમરાણ થતાં લોકો ભેગા થઇ ગયાં હતાં. જેથી તેઓ ત્યાંથી નિકળી રસ્તો ઓળંગી વિજય ઇંડાવાળાની લારી પાસે આવી પોલીસ સ્ટેશને જવા નિકળ્યાં હતાં. તે વેળાં બબુલનું ઉપરાણું લઇને ઇન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં બબુલના મિત્રો અકબર મદારી તેમજ સાવન વસાવાએ તેમની પાછળ દોડી આવી તેમના પર ચપ્પુથી હુમલો કર્યો હતો. તેમજ બબુલે પણ લોખંડનો પાઇપ લઇ આવી તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે,  બબુલ ઠાકોર ભરૂચનો કુખ્યાત બુટલેગર છે, તેની સામે ભુતકાળમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલાં છે. અને વિસ્તારનો માથાભારે શખ્સ તરીકે કુખ્યાત છે. ત્યારે થોડા સમય પહેલાં પોલીસે તેના ઘરે દારૂની રેડ પાડવા સાથે સરકારના નવા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરતાં તેણે ઘણા સમયથી વીજબીલ ભર્યું ન હોવાથી પોલીસની હાજરીમાં તેનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું. લોકોમાં ચાલતી ચર્ચા મુજબ, તેણે જે મકાન બનાવ્યું છે તે સરકારી જમીન પર બનાવ્યું હોવાનું પોલીસ તેમજ અન્ય સરકારી તંત્રને જાણ હોવા છતાં તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ બબુલને પોલીસ તંત્રમાંથી જ કેટલાંક લોકોનો સપોર્ટ હોવાની ભારે લોકચર્ચા છે. ત્યારે વારંવાર શરીરસંબંધીત એટલે કે લોકો સાથે મારમારી, ઘાતક હુમલો કરવા સહિતના ગુનાઓને તેણે અંજામ આપ્યાં છે. તેમજ અનેકવાર જેલમાં તેમજ પાસામાં જઇને આવ્યો હોવા છતાં તે હજી પણ આવી વૃત્તીને અંજામ આપે છે. જાહેરમાં અને વારંવાર લોકો પર હિચકારો હુમલો કરીને કાયદાને પડકાર ફેકનાર સામે નવા ડીએસપી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો આવા અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો માટે દાખલો બેસે તેવી લોકોમાં માગ ઉઠી છે.


Share

Related posts

૧૯ વર્ષ થી નાસતા ફરતાં આરોપી ને ભરૂચ પેરોલફ્લૉ સ્કોડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો …..

ProudOfGujarat

અંકલેશ્વરમાં જાગૃત યુવાનો દ્વારા ઉનાળાના ને લઈને ઠંડા પાણીના પરબની ફ્રી સેવાનું આયોજન કરવામાં આવ્યું….

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીનેશન મેગા ડ્રાઇવ અભિયાન અંતર્ગત ૭૪૪૭ લોકોએ કોરોના વેક્સીનનો લીધો લાભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!