વાંકલ ::
વ.દે.ગલીયારા વિદ્યાલય, કઠોરમાં શાળા કક્ષાનો પાંચમુ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું.ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માં માધ્યમિક વિભાગની 40 કૃતિઓ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની પાંચ કૃતિઓનું પ્રદર્શન થયું હતું જેમાં 100 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ રજૂ કરી વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રી કઠોર કેળવણી મંડળના ઉપપ્રમુખ નીતિનભાઈ સોનાવીયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મંડળના માનદમંત્રી મહેશભાઈ ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન નિહાળી દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Advertisement
