Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર- હાંસોટ પંથકમાં પ્રથમ નોરતે જ મેઘરાજાનું આગમન, પવન સાથે ધોધમાર વરસાદ

Share

નવરાત્રિના પ્રથમ નોર તેજ મેઘરાજાની એન્ટ્રી થઈ છે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી વરસાદ વરસતા ખેલૈયાઓ તેમજ ગરબા આયોજકો મૂંઝવણમાં મુકાયા છે.આ વખતે નવરાત્રી દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે તારીખ 27મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે તે મુજબ જ વરસાદ વરસી રહ્યો છે. હાંસોટ પંથકમાં ગતરોજ પણ દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે પ્રથમ નોરતે જ વરસાદ વરસતા શેરીઓ અને ગરબા ગ્રાઉન્ડ પાણી પાણી થઈ ગયા હતા

Advertisement

Share

Related posts

ગોધરા : અનૂસૂચિત જાતિ મોર્ચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પ્રમુખની કેબીન સામે ધરણાં

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના નબીપુર ગામે કાનમ મારવાડી વરકણ સમાજનું સ્નેહમિલન સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!