વાંકલ ::
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન નિમિતે સેવા પખવાડિયા અંતર્ગત ઝંખવાવ જીલ્લાપંચાયત સીટમાં આવતા ગામોમાં અતિ કુપોષિત બાળકોને પોષક તત્વ આહરની કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ લવેટ ગામ ખાતે દિનેશભાઈ સુરતીના આગેવાનીમાં યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દીપકભાઈ ચૌઘરી, ડૉ. કૃતિબેન તથા CSC સ્ટાફની હાજરી રહી હતી. આ સેવા કાર્યથી ગામના અતિ કુપોષિત બાળકોને પોષણ મળી તેમના આરોગ્યમાં સુધારો થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
