ભરૂચ
ભારત સરકારના નાણાં મંત્રાલયના નાણાંકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન – તમારી મૂડી, તમારો અધિકાર” અંતર્ગત શારદા ભવન, અંકલેશ્વર, જિનવાલા કમ્પાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ગુરુવાર, ૧૬ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે, શારદા ભવન, અંકલેશ્વર ખાતે યોજાનાર છે. નાગરિકોને તેમની રકમ પરનો અધિકાર પ્રાપ્ત કરાવવો તથા નાણાંકીય જાગૃતિ વધારવી છે. આ કેમ્પમાં તમામ બેંકો અને નાણાંકીય સંસ્થાઓ અને વીમા કંપનીઓ પોતાના સ્ટૉલ ઉભા કરશે. જ્યાં નાગરિકોને તેમની અનક્લેમ્ડ થાપણો, રકમ, એકાઉન્ટ્સ તથા ડી.ઈ.એ.એફ. (Depositor Education and Awareness Fund) દાવાઓ અંગે માહિતી,ચકાસણી તેમજ તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવનાર છે.
