પ્રાથમિક શાળા સાહોલમાં બાળકો માટે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ દિવાળી કાર્ડ બનાવવાના સ્પર્ધા યોજી ગુજરાતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.સાથે પ્રથમ સત્રના છેલ્લા દિવસે શાળાના આચાર્ય નિલેશભાઈ ડાહ્યાભાઈ સોલંકી તરફથી શાળામાં અભ્યાસ કરતાં બાળકો તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ આઈસ્ક્રીમ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.જેમાં બાળકોને ખૂબ જ મજા આવી હતી.વધુમાં અજય ફૂડ ફેક્ટરી તરફથી તમામ બાળકોને વેજ બર્ગર આપવામાં આવ્યા હતા. જે બદલ શાળાના તમામ પરિવારે આ સરાહનીય કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આમ સમગ્ર દિવસને યાદગાર બનાવ્યો હતો. જેમાં શિક્ષકો સહભાગી બન્યા હતા.
Advertisement
