Proud of Gujarat
bharuch

અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી વિવિધ મંદિરોમાં વિશેષ આરતી અને ભજન-કીર્તન યોજાયા

Share

અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.શહેરના વિવિધ મંદિરોમાં, ખાસ કરીને ભરૂચના નાકા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર સહિત અન્ય મંદિરોમાં, વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમોમાં વિશેષ આરતી, ભજન-કીર્તન અને સત્સંગનો સમાવેશ થતો હતો. ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિમય માહોલમાં ભાગ લઈને તેમણે આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત, વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Advertisement

Share

Related posts

કૃતિ શેટ્ટી અને કલ્યાણી પ્રિયદર્શને ફિલ્મ “જીન્ની” ના “આબ્દી આબ્દી” ગીત પર તેમના અદભુત બેલી ડાન્સ પર્ફોર્મન્સથી ધૂમ મચાવી.

ProudOfGujarat

વાલિયાની ગોદરેજ કંપનીને એનજીટીએ 47.40 લાખનો દંડ ફટકાર્યો : જીપીસીબીની ટીમે ચેકિંગ કરતાં પ્લાન્ટમાં અનેક પ્રકારની જોખમી ક્ષતિઓ જણાઈ હતી

ProudOfGujarat

ભરૂચના યુવા ફોટો જર્નાલિસ્ટ અને વિડીયોગ્રાફર હરેશ બ્રહ્મભટ્ટને બીબા 2024 એવોર્ડ થી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!