Proud of Gujarat
bharuch

અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ઉજવણી વિવિધ મંદિરોમાં વિશેષ આરતી અને ભજન-કીર્તન યોજાયા

Share

અંકલેશ્વરમાં 226મી જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.શહેરના વિવિધ મંદિરોમાં, ખાસ કરીને ભરૂચના નાકા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર સહિત અન્ય મંદિરોમાં, વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમોમાં વિશેષ આરતી, ભજન-કીર્તન અને સત્સંગનો સમાવેશ થતો હતો. ભક્તોએ મંદિરોમાં પહોંચી જલારામ બાપાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિમય માહોલમાં ભાગ લઈને તેમણે આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.આ ઉપરાંત, વિવિધ સ્થળોએ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

Advertisement

Share

Related posts

કરજણના વલણ ગામે 2જો મફત “શિક્ષણ કીટ” વિતરણ કાર્યક્રમ યોજાયો*

ProudOfGujarat

મનરેગા કૌભાંડમાં બચુ ખાબડને પદભ્રષ્ટ કરો, તમામ જિલ્લાઓમાં તપાસ કરો : આપ

ProudOfGujarat

VNSGUમાં ‘મિશન એમ્પ્લોયમેન્ટ-૨૦૨૬’ અંતર્ગત ભવ્ય પ્લેસમેન્ટ ફેર કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!