Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરા નજીક અકસ્માત સર્જાયો : જાનૈયા ભરેલી ખાનગી લકઝરી બસ પલ્ટી જતા મુસાફરોમાં અફરાતફરી મચી

Share

વાગરા.
વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જતી ખાનગી લકઝરી બસ ખાન તળાવ નજીક પલ્ટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. કાબુ છુટી જતા બસ રોડના સાઈડના ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલ્ટી મારી હતી. જાનૈયાઓને લઈને જઈ રહેલ બસ પલટી જતા મુસાફરો ગભરાઈ જવા સાથે ચીસાચીસ મચી ગઈ હતી.
અકસ્માતની જાણ થતા જ વાગરા પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ સાથે નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા. પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાવેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતને કારણે મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજામસ્તોને તાત્કાલીક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધી કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.

Share

Related posts

અંકલેશ્વર:માંડવા ખાતે ટોલટેક્ષ ભર્યા વિના જતા ટ્રક ચાલકને રોકવા જતા ટોલટેક્ષ કર્મીનું મોત…

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસે ચક્રો ગતિમાન કરી નર્મદા માર્કેટમાં થયેલ હત્યા અંગેનું મૂળ કારણ શોઘ્યું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના દધેડા અને ફુલવાડી ગામે પાર્ક કરીને મુકેલ મોટરસાયકલો ચોરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!