Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર માં ખાડા ને લઇ રાત્રી ના અકસ્માત થયો ને સવારે તંત્ર દ્વારા ખાડા નું પેચ વર્ક શરુ કર્યું

Share

અંકલેશ્વર માં ખાડા ને લઇ રાત્રી ના અકસ્માત થયો ને સવારે તંત્ર દ્વારા ખાડા નું પેચ વર્ક શરુ કર્યું હતું. હસ્તી તળાવ માર્ગ પર જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવામાં આવ્યા હતા. કમોસમી વરસાદ બાદ વધુ બિસ્માર બનતા માર્ગ ખાડા પુરતા વાહન ચાલકોને રાહત અનુભવી હતી.

અંકલેશ્વર માં ચોમાસા અને ત્યારબાદ આવેલા માવઠા ને લઇ જ્યાં ધરતી પુત્રો ના પાક નાશવંત થયો છે. ત્યાં અનેક માર્ગ ધોવાઈ ગયા છે. જેને લઇ રાહદારીઓ અને વાહનચાલકો અનેક યાતના માંથી પસાર થઇ રહ્યા હતા. ગત રોજ અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ થી લઇ ચૌટા નાકા માર્ગ પર ખાડા ને લઇ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલા ને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ અચાનક જ આજરોજ સવારે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વર શહેરી વિસ્તારો ને જોડતા માર્ગ પેચ વર્ક શરુ કર્યું હતું અને જ્યાં મોટા ખાડા પડ્યા હતા તે પુરાવામાં આવ્યા હતા. જો કે કેટલાક ખાડા હજુ પણ જોવા મળી રહ્યા છે. જે ખાડા પણ જલ્દી પુરાવામાં આવે એ જરૂરી બન્યું છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ૩૬ માં નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આજરોજ ગુજકેટની પરીક્ષા યોજાય ગઈ…

ProudOfGujarat

રામેશ્વરથી અયોધ્યા તરફ જતા રામ રાજ્ય રથયાત્રાનું ભરૂચ ખાતે ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!