Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આજરોજ સમાપન કરાવ્યું

Share

 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ભરૂચ ખાતે એક મહિનો મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું. આ રિઝલ્ટ ઓરીએન્ટેડ કેમ્પથી ઘણાબધા સાધકોના વજન બે થી લઈ ને નવ કિલો સુધી ના ઓછા થયા, નાનીમોટી ઘણી તકલીફો, રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી. આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે અને સૌ નિરોગી બને તેવી ભરૂચ ના યોગ કોચ અને સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને વિનમ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી એ ઉપસ્થિત રહી યોગ નું જીવન માં મહત્વ અને પંચવર્તન વિશે ઉદબોધન આપ્યું હતુ અને સાર્થક ફાઉન્ડેશન ના સ્થાપક હેતલભાઈ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનેતી અને નેત્રશુદ્ધિ ની ક્રિયાઓ યોગ સાધકોને શીખવી હતી.આ પ્રસંગે સંચાલક પ્રકાશભાઈ પટેલ, સહસંચાલક પ્રિતીબેન સોલંકી અને અંજલિબેન ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર ઉર્વીબેન ચુડાસમા, વંદનાબેન પાટીલ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન ઝોન કોર્ડિનેટર પારૂલબેન પટેલ અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

ભરૂચમાં 108 નાં કર્મચારીઓ દ્વારા દીપ પ્રગટાવીને લોકોને સંદેશ વહેતો કર્યો કે અમે તમારી રક્ષા માટે હંમેશા કટિબદ્ધ છીએ ભરૂચ શહેર જિલ્લાના લોકો સાથે 108 ની ટીમ હંમેશા તત્પર રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વરમાં છેલ્લા ચાર વર્ષથી સાથે રહેતા પ્રેમીએ ઘર કંકાસમાં પ્રેમિકાની હત્યા કરી ફરાર થઇ જતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!