Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આજરોજ સમાપન કરાવ્યું

Share

 

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માતરીયા તળાવ ભરૂચ ખાતે એક મહિનો મેદસ્વિતા મુકત ગુજરાત કેમ્પ- ૦૨ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સમાપન આજરોજ કરવામાં આવ્યું. આ રિઝલ્ટ ઓરીએન્ટેડ કેમ્પથી ઘણાબધા સાધકોના વજન બે થી લઈ ને નવ કિલો સુધી ના ઓછા થયા, નાનીમોટી ઘણી તકલીફો, રોગો અને સમસ્યાઓમાંથી મુક્તિ મળી. આવા કેમ્પનું આયોજન રેગ્યુલર થતું રહે અને સૌ નિરોગી બને તેવી ભરૂચ ના યોગ કોચ અને સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ને વિનમ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમાપન પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લાના સંયોજક શૈલેષભાઈ ગોસ્વામી એ ઉપસ્થિત રહી યોગ નું જીવન માં મહત્વ અને પંચવર્તન વિશે ઉદબોધન આપ્યું હતુ અને સાર્થક ફાઉન્ડેશન ના સ્થાપક હેતલભાઈ શાહે યોગ અને જીવદયા અંગેનું વક્તવ્ય રજૂ કર્યુ હતું. યોગ ટ્રેનર હેમાબેન પટેલ દ્વારા જલનેતી અને નેત્રશુદ્ધિ ની ક્રિયાઓ યોગ સાધકોને શીખવી હતી.આ પ્રસંગે સંચાલક પ્રકાશભાઈ પટેલ, સહસંચાલક પ્રિતીબેન સોલંકી અને અંજલિબેન ડોગરા, સહયોગી ટીમમાંથી યોગ ટ્રેનર ઉર્વીબેન ચુડાસમા, વંદનાબેન પાટીલ હાજર રહ્યા હતા. સમગ્ર કેમ્પ દરમિયાન ઝોન કોર્ડિનેટર પારૂલબેન પટેલ અને ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર બિનીતાબેન પ્રજાપતિનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : વોર્ડ નં.૨ માં સ્પોર્ટ પર્સન આરીફભાઈ તથા તોસિફ નેકી દ્વારા સ્વચ્છતા અંગે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેન્ડ બનાવી આપવા કલેક્ટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ઇખર ગામે કપીરાજે મચાવેલ આંતકમાં ૧૩ વર્ષિય બાળક ઘાયલ, સિવિલમાં સારવારનો અભાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!