Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

Share

। ભરૂચ !

ભરૂચની શ્રી ઐયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન ઐયપ્પાના આશિર્વાદથી છેલ્લા ૪૭ વર્ષથી વાર્ષિક એયપ્પા પુજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પરંપરાઓ અને આસ્થા સાથે યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨૭મી ડિસેમ્બરના રોજ વાર્ષિક ઐયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સવારે સાડાપાંચ વાગ્યે ગણપતિ હોમ તેમજ તે બાદ ૭:૩૦ વાગ્યે અભિષેક કરવામાં આવશે. ઉપરાંત સાંજે 6:30 કલાકના અરસામાં કસક અનુમાન મંદિરેથી થાળાપોળી સાથે વિશાળ અને સુશોભિત હાથી તેમજ પંચવધ્યમ, શિંકરી-મેલમ, હૈયામ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાથે સાથે સાંજે ૭:૩૦ વાગ્યે વિષ્ણુ એયપ્પા મંદિર ખાતે ભજન અને બાદમાં ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જે બાદ ૯:૩૦ કલાકે મહા-આરતી થશે. જેનો લાભ લેવા દરેક ધાર્મિક લોકોને અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

ખતરોં કે ખિલાડી 14: ક્રિષ્ના શ્રોફ મજબૂત દાવેદારોમાંના એક તરીકે ઉભરી આવ્યા!

ProudOfGujarat

ભરૂચ શક્તિનાથ પાણીની ટાંકીમાંથી અપાતો પાણી પુરવઠો એક દિવસ માટે બંધ રહેશે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભગવાન શાલીગ્રામ અને તુલસીનો વિવાહ પ્રસંગ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!