Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

Share

। ભરૂચ !

ભરૂચની શ્રી ઐયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન ઐયપ્પાના આશિર્વાદથી છેલ્લા ૪૭ વર્ષથી વાર્ષિક એયપ્પા પુજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પરંપરાઓ અને આસ્થા સાથે યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨૭મી ડિસેમ્બરના રોજ વાર્ષિક ઐયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સવારે સાડાપાંચ વાગ્યે ગણપતિ હોમ તેમજ તે બાદ ૭:૩૦ વાગ્યે અભિષેક કરવામાં આવશે. ઉપરાંત સાંજે 6:30 કલાકના અરસામાં કસક અનુમાન મંદિરેથી થાળાપોળી સાથે વિશાળ અને સુશોભિત હાથી તેમજ પંચવધ્યમ, શિંકરી-મેલમ, હૈયામ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાથે સાથે સાંજે ૭:૩૦ વાગ્યે વિષ્ણુ એયપ્પા મંદિર ખાતે ભજન અને બાદમાં ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જે બાદ ૯:૩૦ કલાકે મહા-આરતી થશે. જેનો લાભ લેવા દરેક ધાર્મિક લોકોને અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

વિશ્વ ગુજરાતી સમાજ – યુથ વિંગના ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર તરીકે નર્મદાના રાજેન્દ્રકુમાર પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

અમદાવાદ-NCBએ 11 કિલો ચરસ ઝડપ્યું-બાવળા હાઇવે અને રાજકોટથી ઝડપ્યું ચરસ…

ProudOfGujarat

નર્મદાનાં 9 કોરોના દર્દીઓ સાજા થતા એ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન મુક્ત કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!