Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શનિવારે ભરૂચમાં ૪૮મી ઐયપ્પા ભગવાનની શોભાયાત્રા નિકળશે

Share

। ભરૂચ !

ભરૂચની શ્રી ઐયપ્પા સેવા સમિતિ દ્વારા ભગવાન ઐયપ્પાના આશિર્વાદથી છેલ્લા ૪૭ વર્ષથી વાર્ષિક એયપ્પા પુજાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ધાર્મિક પરંપરાઓ અને આસ્થા સાથે યોજાતા આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ૨૭મી ડિસેમ્બરના રોજ વાર્ષિક ઐયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સવારે સાડાપાંચ વાગ્યે ગણપતિ હોમ તેમજ તે બાદ ૭:૩૦ વાગ્યે અભિષેક કરવામાં આવશે. ઉપરાંત સાંજે 6:30 કલાકના અરસામાં કસક અનુમાન મંદિરેથી થાળાપોળી સાથે વિશાળ અને સુશોભિત હાથી તેમજ પંચવધ્યમ, શિંકરી-મેલમ, હૈયામ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થશે. સાથે સાથે સાંજે ૭:૩૦ વાગ્યે વિષ્ણુ એયપ્પા મંદિર ખાતે ભજન અને બાદમાં ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જે બાદ ૯:૩૦ કલાકે મહા-આરતી થશે. જેનો લાભ લેવા દરેક ધાર્મિક લોકોને અનુરોધ કરાયો છે.

Advertisement

Share

Related posts

ભાઈ બે પૈસા આપો – ભરૂચમાં કરોડોના દેવામાં ડૂબેલી નગરપાલિકા સામે પ્રચંડ આક્રોશ, RTI એક્ટિવસ્ટ દ્વારા માર્ગો પર ભીખ માંગી પાલિકા માટે માંગ્યા ફંડ

ProudOfGujarat

ભરૂચમાં શ્રવણ ચોકડી નજીક 12 વર્ષથી બંગાળી કલાકાર દ્વારા ઇકો-ફ્રેન્ડલી ગણપતિ મૂર્તિનું નિર્માણ

ProudOfGujarat

ભરૂચ ડિસ્ટ્રિક્ટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં વૈશાલી પટેલે પ્રથમ ક્ર્મ હાંસિલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!