આવા કાર્યક્રમથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોઁચી હોવાનો આક્ષેપ
| ભરૂચ |
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લાએ નર્મદા પાર્ક ખાતે યોજાનાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટી મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતુ.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા રિવર ફ્રન્ટ ફિએસ્ટા 2.0 નામે ન્યુ યર પાર્ટીનું આયોજન અંગે સોશિયલ મીડિયા અને પ્રચાર પોસ્ટરો દ્વારા માહિતી પ્રસારિત કરવામાં આવી છે.જે કાર્યક્રમથી જાહેર શાંતિ,ધાર્મિક ભાવનાઓ અને સરકારી સ્થળનો દુરુપયોગ,ધર્માંતરણને પ્રોત્સાહન આપવા અને સંભવિત કર ચોરી તેમજ ધર્મ પ્રચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.જે કાર્યક્રમ તાત્કાલિક અસરથી રદ્દ કરી તેના ફંડના સ્ત્રોત બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
