Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDCમાં પાણી ભરાવાની સમસ્યાનો અંત – રાજ્ય સરકારએ ₹4.5 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી

Share

અંકલેશ્વર GIDC વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી પાણી ભરાવાની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ સમસ્યાના નિવારણ માટે ₹4.5 કરોડના વિકાસ પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વિશેષ કરીને GIDC સ્ટેશન વિસ્તાર, બેંક ઓફ બરોડા અને ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો. રસ્તાઓ ખરાબ થતા વાહનવ્યવહાર ખોરવાતો અને ઉદ્યોગોની દૈનિક કામગીરી પર પણ અસર થતી હતી.

Advertisement

આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ 2025માં ખેતીવાડી ઓફિસ નજીક બોક્સ કલ્વર્ટ અને નવી વરસાદી ગટર લાઇનના નિર્માણ માટે એક સર્વગ્રાહી યોજના તૈયાર કરવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર દ્વારા આ યોજના મંજૂર થતાં જ અમલીકરણનો માર્ગ ખુલ્લો થયો છે.

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા સંપૂર્ણપણે દૂર થશે તેમજ રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ બનશે. આથી વિસ્તારના રહેવાસીઓ સાથે ઉદ્યોગકારોને વર્ષો જૂની પરેશાનીમાંથી મોટી રાહત મળશે.


Share

Related posts

ખૈલા હોબે : ભરૂચ જિલ્લાના ૪૩ પોલીસ કર્મીઓની હેડક્વાર્ટર ખાતે બદલી, સ્ટેટ મોનીટરીંગ સેલના એક બાદ એક દરોડાએ પોલીસ સ્ટેશનોમાં નવાજુની કરી..?

ProudOfGujarat

ભરૂચ અને વડોદરા જિલ્લાના પાકો નષ્ટ થવા સામે અનેક રજૂઆતો છતાં સરકાર વળતર ચૂકવવા માટે નિષ્ફળ : સંદીપ માંગરોલા.

ProudOfGujarat

આ વર્ષે ખેતી માં થયેલ નુકસાન નું વળતરનું શું.? ખેડૂતોમાં ચર્ચાયો વેધક સવાલ.? જાણો વધુ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!