Proud of Gujarat
GujaratFeaturedINDIA

ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યા મામલે ગોધરામાં હિન્દુરક્ષા મંચ દ્વારા તંત્રને આવેદનપત્ર.

Share

પંચમહાલ જિલ્લા હિન્દુ રક્ષા મંચ દ્વારા ધંધુકા નગરમાં યુવાનની કિશન ભરવાડની હત્યા મામલે વહીવટીતંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે ગુજરાતના ધંધુકા નગરમાં એક હિન્દુ યુવાન કિશન ભરવાડની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે અને હત્યાના તાર પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ સાથે જોડાઈ ગયા છે. ત્યારે કટ્ટરવાદીઓને મોકળુ મેદાન મળી રહ્યુ છે. હિન્દુ રક્ષા મંચ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે આવા કટ્ટરવાદીઓ સામે સખતમાં સખત કાર્યવાહી થાય અને તેમને ફાંસીની સજા આપવામાં આવે. ગુજરાતમાં કટ્ટરવાદ ચાલી શક્યો નથી અને તેમની સામે કાર્યવાહી કરવા વિનંતી છે, આવેદન આપવા હિન્દુ રક્ષા મંચના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક : પોલીસ દ્વારા એક્સ-રે નો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રખાયો..

ProudOfGujarat

ભરૂચ : આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ.

ProudOfGujarat

दिशा के सर पर इंडस्ट्री के सबसे अच्छे इंसान में से एक का हाथ है  : टाइगर श्रॉफ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!