Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદ કાંકરિયા ધર્માંતરણ કેસમાં વધુ 6 આરોપીની ધરપકડ.

Share

આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ આદિવાસી હિન્દુઓના ધર્માંતરણમાં ઝડપાયેલા આરોપીઓનો આંક 10 ઉપર પહોંચ્યો છે. આ કેસમાં હાલ અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે જેમાં જંબુસરની મસ્જિદમાં નમાજ પડાવનાર અયુબ નામના શિક્ષકની પણ સંડોવણી ખુલી છે અને અહીં ધર્માંતરણ મુદ્દે લાલચ આપી નમાજ પઢવામાં આવતી હોય તેવો પણ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં બેહરિનથી 7 લાખનું ફન્ડિંગ અને વડોદરાના સલાઉદ્દીનના આફમી ટ્રસ્ટમાંથી ₹3.41 લાખનું ફંડ ધર્માંતરણ તેમજ ઈબાદતગાહની પ્રવૃત્તિ માટે વપરાયું હોવાનો ખુલાસો થયો છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 આદિવાસીઓના ધર્માંતરણમાં તપાસ અધિકારી DYSP એમ.પી. ભોજાણીની રાહબરી હેઠળ તપાસ ટીમોએ વધુ 6 આરોપીઓને ઝડપી પાડતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવ્યા છે. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ મેળવવા ભરૂચ પોલીસે તજવીજ હાથ ધરી છે.

ગુનાની તપાસ દરમ્યાન ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ ક.4- ગ તથા આઈ.ટી.એકટની કલમ 84- સી નો ઉમેરો કરવામાં આવેલ છે. ઝડપાયેલા 6 આરોપીઓ દ્વારા એકત્ર કરેલ અંદાજીત ફંડ ₹14 લાખ પૈકીની ₹7 લાખ જેટલી રકમ રીજવાન દ્વારા બહેરીન ( વિદેશ ) ખાતેના ઈસ્માઈલ નામના ઈસમ પાસેથી બેંક ટુ બેંક રકમ મેળવવામાં આવી છે. અન્ય રકમ અલગ – અલગ મુસ્લિમ સંપ્રદાયના નાગરીકો પાસેથી જકાતના ભાગરૂપે મેળવી છે.

ધર્માંતરણમાં ઝડપાયેલા 6 આરોપીની ભૂમિકામાં પાટણના યાકુબ ઇબ્રાહિમ શંકર અને પાલેજના રિઝવાન પટેલે અંદાજિત રકમ ₹14 લાખની માતબર રકમ મેળવવામાં ભાગ ભજવ્યો છે. આમોદના ઠાકોર વસાવાએ આજથી આશરે 18 થી 20 વર્ષ પહેલા સૌ પ્રથમ હિન્દુ નાગરિકમાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો છે. જેણે ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃતિમાં અત્યંત શરૂઆતની મુખ્ય ભુમીકા ભજવી છે. આમોદ યુસુફ પટેલ અને આછોડના સાજીદ પટેલ આછોડ ગામના બૈતુલમાલ ટ્રસ્ટના હોદ્દેદારો છે. તેઓએ વડોદરાના આરોપી સલાઉદ્દીન શેખના આફમી ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી અંદાજીત રકમ ₹3.71 લાખ મેળવ્યા છે.

Advertisement

ઝડપાયેલા વધુ 6 આરોપીઓ :
– યાકુબ ઈબ્રાહીમ શંકર રહે, સમી, પાટણ
– રીઝવાન મહેબુબભાઈ પટેલ રહે.પાલેજ
– ઠાકોર ગીરધરભાઈ વસાવા રહે – પુરસા, આમોદ
– સાજીદ અહમદભાઈ પટેલ રહે. આછોદ,આમોદ
– યુસુફ વલી હસન પટેલ રહે. બચ્યોકા ઘર, આમોદ
– ઐયુબ બસીરભાઈ પટેલ રહે. નુરાની સોસાયટી જંબુસર

જંબુસરનો ઐયુબ પટેલ જંબુસરની મહમ્મદી મસ્જીદમાં કર્તાહર્તા છે. તેની આ મસ્જીદમાં કાંકરીયા ગામના ધર્માંતરણ પામેલા નાગરીકોને આર્થિક સહાય સહિતની લાલચ આપતો હતો. પોતાની દેખરેખ હેઠળની મસ્જીદમાં જુમ્માની નમાજ પઢવા માટે નાગરીકોને બળજબરીથી બોલાવતો હતો. એટલુ જ નહિ વધુમાં આ મસ્જીદમાં મૌલવીઓ દ્વારા તેમજ તેના દ્વારા હિન્દુ ધર્મમાં નફરત પેદા થાય તેવુ ભાષણ કરી મુસ્લિમ ધર્મનો જબરદસ્તીથી જ્ઞાન આપી મુખ્ય ભુમિકા ભજવતો હતો.


Share

Related posts

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : સરકારી કર્મચારી ખેડૂત પાસેથી રૂ. 10,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!