Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં પ્રસ્તાવિત રેલવે હાઇવે સામે ખેડૂતોનો વિરોધ, રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું

Share

વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પ્રસ્તાવિત રેલવે લાઇન હાઇવે પ્રોજેક્ટના વિરોધમાં ફરી એકવાર અસરગ્રસ્ત ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા. ઝંખવાવ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ માંગરોળ ખાતે વિરોધ નોંધાવી પ્રોજેક્ટ રદ કરવાની માંગ ઉઠાવી હતી.

અસરગ્રસ્ત ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રસ્તાવિત પ્રોજેક્ટને કારણે ઝંખવાવ ગામના 26 કુટુંબોના કુલ 94 લોકોના આશરે 17 જેટલા મકાનો વિસ્થાપિત થવાની સ્થિતિ ઉભી થઈ રહી છે. જેના કારણે ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Advertisement

વિરોધ કાર્યક્રમ દરમિયાન બાળકો, મહિલાઓ અને ખેડૂતોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. મોસાલી બજારથી માંગરોળ મામલતદાર કચેરી સુધી રેલી યોજી પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિને સંબોધીને માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રેલવે હાઇવે પ્રોજેક્ટ રદ કરવા સરકાર પાસે યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે અપીલ કરી હતી.


Share

Related posts

અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે આજરોજ કોબ્રા સાપ દેખાતા રહીસો માં ગભરાહટ

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલામાં બાઈક રેલી યોજાઈ

ProudOfGujarat

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!