Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નારાયણનગર-૨માં ૬ થી ૭ ફૂટ ઊંડા ખાડામાં પડેલું શ્વાનને સુરક્ષિત રીતે બચાવાયું

Share

ભરૂચ:
નારાયણનગર-૨ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ ભાવસારનું પાલતુ શ્વાન અચાનક અંદાજે ૬ થી ૭ ફૂટ જેટલા ઊંડા ખાડામાં પડી જતાં આસપાસના લોકોમાં ચિંતા ફેલાઈ હતી. આ અંગેનો કોલ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેન્દ્ર શાહ સુધી પહોંચતા તેમણે તરત જ કાર્યવાહી હાથ ધરી હતી.
હિરેન્દ્ર શાહે તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ મેળવી પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. સાવચેતીપૂર્વકના પ્રયાસો બાદ ખાડામાં પડેલા શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું.
રેસ્ક્યુ બાદ શ્વાનને સંપૂર્ણ રીતે સલામત હાલતમાં તેના માલિક મેહુલભાઈ ભાવસારને સોંપવામાં આવ્યું હતું. આ ઘટનામાં જીવદયા પ્રેમીઓ અને ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ પ્રશંસા કરી હતી.

Share

Related posts

અક્કલકુવા વિસ્તારમાં રાજકીય ભુકંપ. ૧૦૦ જેટલા કાર્યકરો શીવસેના માં જોડાયા…

ProudOfGujarat

અંકલેશ્વરઃ સિક્યુરીટી એજન્સી દ્વારા લઘુતમ વેતનધારાનું ઉલ્લંઘન થયાની રજૂઆત

ProudOfGujarat

ભરૂચ : એપ્પલ કંપનીના શંકાસ્પદ લાખોની કિંમતના ૧૮ મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!