ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના ત્રણ રસ્તા ખાતે આવેલા ટાવર પર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા નવા ભગવા ધ્વજનું વિધિવત્ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. કુદરતી અસરના કારણે અગાઉ ફરકાવવામાં આવેલો ભગવો ધ્વજ ખરાબ થઈ જતાં તેના સ્થાને નવો ધ્વજ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
Advertisement
ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો, કાર્યકરો તેમજ હિન્દુ સમાજના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક માહોલ વચ્ચે ધ્વજારોહણની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકોએ ભગવા ધ્વજ પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ઝઘડિયા ટાવર પર ફરી લહેરાયેલા ભગવા ધ્વજની તસવીરો સોશિયલ મીડિયા પર પણ વ્યાપક રીતે શેર થઈ રહી છે અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે.
