Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ માં બે જેટલા મંદિરો માં ચોરી…તસ્કરો બન્યા બે ફામ..?? જાણો વધુ……….

Share

ભરૂચ ના લિંક રોડ પર આવેલ જય શ્રી અંબા માતા નું મંદિર અને શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર માં ગત રાત્રી ના સમયે ચોરી ની ઘટના બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો……….

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ધુળેટી ના દિવસઃ ની રાત્રીના સમયે લિંક રોડ પર આવેલ બે જેટલા ધાર્મિક મંદિરો માં ચોરી ની ઘટના પ્રકાસ માં આવી હતી…જેમાં મંદિર ના તાળાદરવાજા ના નકુચા તોડી મંદિર માં મુકેલ દાન પેટી સહીત ની વસ્તુઓ ની નિશાન બનાવી અંદાજીત હજારો ની મત્તા ની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા  ……….
મુખ્ય માર્ગ ઉપર ની બે જેટલી મંદિરો માં ચોરી ની ઘટનાઓ બનતા વિસ્તાર માં ભારે ચકચાર મચ્યો હતો…તો બીજી તરફ સ્થાનિકો ના જણાવ્યા મુજબ આ વિસ્તાર માં અગાઉ પણ ચોરી ની ઘટનાઓ બની ચુકી છે..અને પોલીસ પેટ્રોલીંગ માં વધારો કરવામાં આવે તેવી લોક માંગ આ ચોરી ઓની બનેલ ઘટનાઓ બાદ થી ઉઠવા પામી છે……………
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસઃ થી શહેર અને જીલ્લા માં હત્યાઓ.દારૂ ઝડપાવવા સહીત ના ચકચારી બનાવો વચ્ચે હવે મુખ્ય માર્ગ ઉપર ના મંદિરો પણ તસ્કરો ના નિશાન ઉપર આવતા જીલ્લા ના કાયદા અને વ્યવસ્થા ના લીરેલીરા ઊડ્યા હોય તેમ લાગી રહ્યું છે…………
Advertisement

Share

Related posts

નડિયાદ : ડભાણ ભાગોળમાં અકસ્માતમાં વીજપોલ જમીનદોસ્ત.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક ટ્રક ખાડામાં ફસાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગણેશોત્સવ અંગે ગણેશ મંડળો સાથે બેઠક યોજતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલિસ વડા.

ProudOfGujarat
error: Content is protected !!