Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઈરાન-અમેરિકા તણાવની અસર: બાંધકામ ક્ષેત્રમાં ખર્ચ વધારો, ઘર ખરીદવું બન્યું મુશ્કેલ

Share

 

વૈશ્વિક સ્તરે વધતા ભૂ-રાજકીય તણાવની સીધી અસર હવે સ્થાનિક બજારોમાં પણ જોવા મળી રહી છે. મધ્ય પૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે કાચા માલ, ઈંધણ અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે બાંધકામ ક્ષેત્ર પર ભારે અસર પડી છે.

Advertisement

તાજેતરના આંકડા મુજબ, બાંધકામમાં ઉપયોગમાં લેવાતા મહત્વના સામાનના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્ટીલનો ભાવ ₹58,000 થી વધીને ₹65,000 થયો છે, જે લગભગ 12 ટકા વધારો દર્શાવે છે. સિમેન્ટના ભાવમાં પણ 15 ટકાનો વધારો નોંધાયો છે, જે ₹290 થી ₹335 સુધી પહોંચી ગયો છે. ટાઈલ્સ અને વાયર જેવા સામાનમાં પણ 12 થી 15 ટકા જેટલો વધારો થયો છે.

ખાસ કરીને પ્લમ્બિંગ અને એલ્યુમિનિયમ સામગ્રીમાં સૌથી વધુ 50 ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. ગ્લાસના ભાવમાં પણ લગભગ 30 ટકા વધારો થયો છે, જ્યારે પેઇન્ટ (કલર)ના ભાવમાં 8 ટકા જેટલો વધારો થયો છે.

આ વધતા ખર્ચને કારણે બિલ્ડરો માટે પ્રોજેક્ટનો કુલ ખર્ચ ઘણો વધી ગયો છે. જૂના દરે બુક કરાયેલા પ્રોજેક્ટમાં નફો ઘટતા બિલ્ડરો હવે નવા પ્રોજેક્ટમાં ભાવ વધારો કરવા મજબૂર બન્યા છે. પરિણામે, રહેણાંક મકાનોના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આ પરિસ્થિતિનો સૌથી વધુ પ્રભાવ મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ પર પડી રહ્યો છે. ઘર ખરીદવું હવે વધુ મોંઘું બનતા ઘણા લોકો માટે પોતાનું ઘર મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. વધતી EMI અને ડાઉન પેમેન્ટના કારણે માંગમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

વિશેષજ્ઞોના મત મુજબ, જો વૈશ્વિક પરિસ્થિતિમાં સ્થિરતા નહીં આવે તો આગામી સમયમાં બાંધકામ ક્ષેત્રમાં વધુ ભાવવધારો જોવા મળી શકે છે, જે સામાન્ય ગ્રાહકો માટે વધુ પડકારજનક બની શકે છે.

સમાન          પહેલાનો ભાવ          પછીનો ભાવ    તફાવત
સ્ટીલ             ૫૮૦૦૦              ૬૫૦૦૦        ૧૨%
સિમેન્ટ              ૨૯૦                ૩૩૫        ૧૫%
ટાઈલ્સ               ૬૦                 ૭૦        ૧૫%
વાયર              ૮૧૦૦              ૯૦૦૦        ૧૨%
પ્લમ્બિંગ             ૧૩૦                ૧૯૮        ૫૦% 
કલર                ૩૫૦                ૩૭૫        ૦૮%
એલ્યુમિનિયમ         ૨૮૦                 ૪૩૦       ૫3%
ગ્લાસ                ૬૦                  ૭૮       ૩૦%


Share

Related posts

માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ એસ.એમ.સી.પી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ શરૂ થનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઇ

ProudOfGujarat

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા ના કાટકડાગામે પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!