Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં માનવતાની મિસાલ: નિખિલ શાહ અને મિત્ર મંડળે ૪૪૦થી વધુ વિદ્યાર્થીઓને ચોપડા આપી શિક્ષણને આપ્યો સહારો

Share

 

ભરૂચ:

Advertisement

આજના સોશિયલ મીડિયા અને પ્રસિદ્ધિના યુગમાં, જ્યાં નાના-મોટા સામાજિક કાર્યો પણ કેમેરા અને પ્રચારના કેન્દ્રમાં રહેતા હોય છે, ત્યાં ભરૂચના વોર્ડ નં. ૧૧માં નિખિલ શાહ અને તેમના મિત્ર મંડળે માનવતા, સંવેદના અને નિઃસ્વાર્થ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ટીમ દ્વારા કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે દેખાડાની અપેક્ષા વગર ૪૪૦થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર અભિયાનની સૌથી વિશેષ બાબત એ રહી કે વિતરણ દરમિયાન એક પણ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે સેવાકીય પ્રવૃત્તિઓમાં ફોટોગ્રાફી અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને મહત્વ આપવામાં આવે છે, પરંતુ નિખિલ શાહ અને તેમની ટીમે વિદ્યાર્થીઓના આત્મસન્માનને સર્વોપરી ગણાવી સંપૂર્ણ અભિયાનને “ફોટોગ્રાફી મુક્ત” રાખવાનો નિર્ણય લીધો હતો.

નિખિલ શાહે જણાવ્યું હતું કે, “અમારો હેતુ માત્ર બાળકોના શિક્ષણમાં મદદરૂપ થવાનો હતો. મદદ મેળવનાર વ્યક્તિની મજબૂરીને કેમેરામાં કેદ કરવી કે તેને સોશિયલ મીડિયા પર પ્રદર્શિત કરવું અમારી વિચારસરણી સાથે સુસંગત નથી. સાચી સેવા એ છે જેમાં માનવતાનું સન્માન જળવાઈ રહે.”

મિત્ર મંડળ દ્વારા અગાઉથી સર્વે હાથ ધરી વોર્ડ નં. ૧૧ના આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના બાળકોની ઓળખ કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતા ૪૪૦થી વધુ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં જરૂરી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવાનો અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

સ્થાનિક નાગરિકોમાં પણ આ પહેલને લઈને પ્રશંસા જોવા મળી રહી છે. લોકોનું માનવું છે કે સેવા કાર્યનો સાચો અર્થ જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડવામાં છે, નહીં કે તેની પ્રસિદ્ધિ મેળવવામાં. નિખિલ શાહ અને તેમની ટીમે આ કાર્ય દ્વારા સમાજને સંદેશ આપ્યો છે કે સેવા માટે મોટા મંચ કે મોટા સાધનોની જરૂર નથી, પરંતુ નિઃસ્વાર્થ ભાવના અને સમાજ પ્રત્યેની જવાબદારી જરૂરી છે.

આ સમગ્ર અભિયાન બાદ ટીમના સભ્યોમાં પણ સંતોષની લાગણી જોવા મળી હતી. કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વગર કરવામાં આવેલી આ સેવા વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં નાનકડું પરંતુ મહત્વપૂર્ણ યોગદાન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચના નાગરિકો અને શિક્ષણપ્રેમી વર્ગ દ્વારા આ યુવા ટીમની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ : વિશ્વકર્મા ભવન ખાતે આવનારી વિધાનસભા બેઠકને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ગણેશ ખાાંડ ઉદ્યોગનાં પૂર્વ ચેરમેન સહીત અન્યો ઉપર ખોટા આરોપ લાગવાનો દાવો : જીલ્લા કલેકટરને અપાયું આવેદન.

ProudOfGujarat

ગરૂડેશ્વરમાંથી આયુર્વેદિક દવાઓના જથ્થા સાથે ઝડપાયો બોગસ ડોકટર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!